Loading Events

« All Events

  • This event has passed.

મૌન એકાદશી પર્વ

23/12/2023

મૌન એકાદશી પર્વ (શનિવાર 23/12/2023)

Jai Jinendra
        Maun Ekadashi Parv
Saturday, 23rd December 2023
        DEV VANDAN
          ⏰11.00 am⏰
       (For Gents -at 555)
       (For Ladies – at 614)
    ✋ EVENING PRATIKRAMAN
              ⏰6.00 pm⏰
  (at 555 Kenton Road)
         ☀️ SAMUH AARTI ☀️
             ⏰7.30 pm⏰
                Nakro £31
Register your name with Niraj Sutaria on 079 3256 7960 or at Derasar Ketanbhai on 020 8206 1659

મૌન એકાદશી પર્વ
આવતીકાલે (શનિવાર 23/12/2023)

મૌન એકાદશી
ચાતુર્માસ પૂર્ણ થાય છે પછી માગસર સુદ એકાદશીના દિવસે મૌન એકાદશી પર્વ આવે છે.

આ દિવસે 150 કલ્યાણક થયા છે, તેનાથી આ દિવસે ઉપવાસ કરતાં 150 ઉપવાસના ફળ મળે છે.

એક વખત બાવીસમાં તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં આવ્યા હતા. ત્યારે શ્રી કૃષ્ણ મહારાજાએ પૂછ્યું: “ભગવાન! 360 દિવસના વર્ષમાં કયો દિવસ સર્વોત્તમ છે, જે દિવસે ઉપવાસ અથવા તપના ફળ અધિક થાય છે?”

ઉત્તરમાં શ્રી નેમિનાથ પ્રભુએ જણાવ્યું: “હે કૃષ્ણ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે. કારણકે આ દિવસ ત્રણ ચોવીશી તીર્થંકરોના કુલ 150 કલ્યાણક થયા છે.

તે આ રીતે:
આ ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીના

18માં શ્રી અરનાથ પ્રભુનો દીક્ષા કલ્યાણક થયો હતો.
21માં શ્રી નેમિનાથ પ્રભુનો કેવલજ્ઞાન કલ્યાણક થયો હતો.
19માં શ્રી મલ્લીનાથ પ્રભુનું જન્મ, દીક્ષા, અને કેવલજ્ઞાન એવા ત્રણ કલ્યાણક આ દિવસ થયા છે.

આ રીતે ભરતક્ષેત્રમાં કુલ પાંચ કલ્યાણક થયા છે.

આ રીતે કુલ પાંચ ભરતક્ષેત્ર અને પાંચ એરવતક્ષેત્રમાં પાંચ પાંચ કલ્યાણક થતાં કુલ ૫૦ કલ્યાણક થયા છે.

આ રીતે વર્તમાન ચોવીશીના 50, અતીત (પાછળ) ચોવીશીના 50, અને આવનાર ચોવીશીના 50 કલ્યાણક આ દિવસ થયા છે.

આ રીતે આ દિવસ ઉપવાસ કરતાં અથવા અન્ય કોઈ પૂજન કરતાં 150 ગુણ વધુ ફળ મળવા પાત્ર છે.

મૌન ચાર પ્રકારનો હોઈ શકે છે:
1- વાણીનો મૌન / 2- કાયાનો મૌન / 3- ઇન્દ્રિયોનો મૌન / 4- મનનો મૌન

અને એક મૌન છે અને તે આત્માનો મૌન છે I આત્માનો મૌન એ સર્વશ્રેષ્ઠ મૌન છે।

Details

  • Date: 23/12/2023

Organizer

  • Mahavir Foundation
  • Phone 020 8206 1659
  • Email info@mahavirfoundation.com

Venue